શ્રીમદ ભાગવત કથા એક ગોપી,દહીં,દૂધ,માખણ-વેચવા નીકળી છે. મનમાં શ્રીકૃષ્ણનું ચિંતન કરતાં કરતાં ચાલે છે.કૃષ્ણ-પ્રેમમાં દેહભાન ભૂલી છે.તેને બોલવું જોઈએ લે-“દહીં લો- માખણ લો” પણ તે શબ્દ તેને યાદ આવતો નથી.તેની બુદ્ધિમાં –મનમાં –માધવ હતા,એટલે તે બોલે છે-“કોઈ માધવ લો,કોઈ ગોવિંદ લો,હું તો વેચંતી વ્રજની નાર “ “ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી,ચૌદ ભુવનના નાથને મટુકીમાં ઘાલી” કૃષ્ણ-પ્રેમમાં એવી તન્મય થઇ છે કે-એ શું બોલે છે તેનું તેને ભાન નથી. લાલા ને કાને આ શબ્દ પડ્યો. “આ તો જબરી છે,મને વેચવા નીકળી છે” તે જ વખતે રસ્તામાં શ્રીકૃષ્ણ પ્રગટ થયા છે અને ગોપીને કહે છે-કે- અરી ગોપી,હું ગોકુલનો રાજા છું,તું મને માખણ (દાણ રૂપે-ટેક્ષ રૂપે) આપ્યા વગર ક્યાં જાય છે ? વૃંદાવનમાં દાણ ગલી છે,જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ દાણ (ટેક્ષ) માગતા.અતિશય પ્રેમ હોય તો ચીડવવાની ઈચ્છા થાય છે. ગોપીના હૃદયમાં અતિશય પ્રેમ છે અને તે કનૈયાને ચીડવે છે. ગોપી કહે છે-કે-તું શાનો ગોકુલનો રાજા ? ગોકુલનો રાજા તો દાઉભૈયા છે.હું તેમને માખણ આપીશ,તને નહિ. ખબર પડતી નથી ? જા અહીંથી.નંદબાબા આ કાળા કનૈયાને ક્યાંથી લઇ આવ્યા છે ? નંદ બાબા ગોરાને તું કાળ...